અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીનની માંગ કરતી અરજી ફગાવાઈ: દિલ્હી હાઈકોર્ટે અરજદારને 75 હજારનો દંડ કર્યો
- 22 Apr, 2024
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને રાહત આપવાની માંગ કરતી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી હતી. આ સિવાય દિલ્હી હાઈકોર્ટે અરજદારને 75 હજારનો દંડ ફટકાર્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે આ મામલામાં અરજદારને સીધી રીતે કોઈ લેવાદેવા નથી.
હાઈકોર્ટે કહ્યું કે અરવિંદ કેજરીવાલ જેલની અંદર છે અને તેઓ પોતે પણ કોર્ટમાં અરજી કરી શકે છે. જો તેમને કોઈ પણ પ્રકારની અન્ય રાહત જોઈતી હોય તો તેઓ અરજી કરી શકે છે. હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી દ્વારા કોર્ટ પાસે માંગ કરવામાં આવી હતી કે સીએમ અરવિંદ કેજરીવાલને તેમના બાકી રહેલા કાર્યકાળ સુધી વચગાળાના જામીન આપવામાં આવે.
અરજદારે વી ધ પીપલ ઓફ ઈન્ડિયાના નામથી અરજી દાખલ કરી હતી. તેમણે કહ્યું કે આ સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય છે. આવી અરજી કઈ રીતે આપી શકાય. આ પ્રકારના મામલામાં આ વ્યક્તિ કોણ છે. તેનો સંપૂર્ણ પ્રચાર કરવા માટે અરજી કરવામાં આવ છે. હાઈકોર્ટની ટિપ્પણી પછી આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારમાં મંત્રી સૌરભ ભારદ્રાજે કહ્યું દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરવી તે એક ટીખળ હતી. કોર્ટમાં તે અરજીનો વિરોધ અરવિંદ કેજરીવાલના વકીલે કર્યો હતો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ